News flash ::

News flash ::- >>>>>>Breaking news :: 6 % D.A. મંજૂર... ગુજરાત સરકારે આપી મંજુરી ૧લી જાન્યુઆરીથી લાગુ... >>>💥SSC/GSHEB Board Result Date STD.10 -O2.6.2015 STD 12 Science 25.5.2015 STD.12 ARTS 30.5.2015

સુવિચાર :-

સુવિચાર :- " જયાં સુધી માનવી પ઼યત્ન કરતો રહેશે, ત્યાં સુધી ભૂલ તો થતી જ રહેવાની...."

Tuesday 28 May 2013

ગઝલ....

મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !
ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને, તે જ
રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે !
ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર, ને
ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે !
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જાર ના, લાખ
ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !
કામધેનું ને મળે ના એક સુકું તણખલું, ને લીલાછમ
ખેતરો સૌ આખલા ચરી જાય છે !
છે ગરીબો ના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું, ને
શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે !!!